આણંદઃ ગાયક કલાકરે રીક્ષા ચલાવી શરુ કર્યો જીવન નિર્વાહ
Live TV
-
કોરોના કાળની સ્થિતિમાં ઘણા ધંધા રોજગારને અસર કરી છે. આણંદના ગાયક કલાકાર નિલેશ રાજાને પણ કોરોનાના કારણે શો ન મળતાં આર્થિક જીવન નિર્વાહ ચલાવવાનું મુશ્કેલ બન્યુ હતુ. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા તેમણે ઓટો રીક્ષા ચલાવીને આત્મનિર્ભરતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
કોરોના કાળની સ્થિતિમાં ઘણા ધંધા રોજગારને અસર કરી છે. આણંદના ગાયક કલાકાર નિલેશ રાજાને પણ કોરોનાના કારણે શો ન મળતાં આર્થિક જીવન નિર્વાહ ચલાવવાનું મુશ્કેલ બન્યુ હતુ. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા તેમણે ઓટો રીક્ષા ચલાવીને આત્મનિર્ભરતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. નિલેશ રાજાએ છેલ્લા 28 વર્ષથી સ્ટેજ શો અને ગાયકી ક્ષેત્રે કાર્યરત હતાં. જો કે, કોરોના કાળમાં તેમનો આ વ્યવસાય બંધ થતાં તેમણે આર્થિક સંઘર્ષ કરવાનો વારો આવ્યો હતો. પરંતુ હિંમત ન હારતાં આ કલાકારે ઓટો રીક્ષા ચલાવવાનું નક્કી કર્યું અને આજે ઓટો રિક્ષા ચલાવીને તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે અને અન્ય લોકોને પણ હિંમત અને પ્રેરણા આપી રહ્યાં છે.
