આણંદમાં કોવિડ-19થી બચવા લોકોને આરોગ્યવર્ધક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ
Live TV
-
વિદ્યાનગર આયુર્વેદિક કોલેજ દ્વારા વિવિધ વિસ્તારોમાં ઉકાળાના વિતરણનું આયોજન
લાલજી પાનસૂરિયા,આણંદ : કોરોનાની મહામારીના સમયમાં વિદ્યાનગર ખાતે સીવીએમ યુનિવર્સિટીની આયુર્વેદિક કોલેજ દ્વારા કોરોના સામે પ્રતિકારક એવા ઉકાળાંનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાનગરમાં શિયાળાની ગુલાબી ઠંડીમાં વહેલી સવારે યોગ અને કસરત કરવા માટે જતાં લોકો સહિત અવરજવર કરતાં તમામ વ્યક્તિઓને આયુર્વેદિક કોલેજ દ્વારા ઉકાળો આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે પણ કોરોનાની મહામારીથી લોકોને સચેત કરવા માટે કહી રહ્યા છે. ત્યારે વિદ્યાનગરમાં છેલ્લા સાત-આઠ મહિનાથી જુદા જુદા પાંચથી છ સ્થળોએ ઉકાળાંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
