આણંદ: મત્સ્યપાલન માટે જિલ્લાના 70 તળાવોની હરાજી કરવામાં આવી
Live TV
-
મત્સ્યપાલન માટે આણંદ જિલ્લાના 70 તળાવોની હરાજી કરવામાં આવી હતી. હરાજીથી મત્સ્ય ઉદ્યોગ વિભાગને ૮૫ લાખની આવક થશે. આણંદ જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગ માટે ૭૦થી વધુ તળાવ દર ૧0 વર્ષે હરાજી કરીને ભાડાપટ્ટે આપવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે આગામી ૧0 વર્ષ માટે આણંદ મદદનીશ નિયામક મત્સ્યઉદ્યોગ કચેરી દ્વારા ૭૦ તળાવ માટે હરાજી રાખવામાં આવી હતી જેમાં ૩૦૦થી વધુ મત્સ્ય ખેડૂતોએ હરાજીમાં ભાગ લીધો હતો. આણંદ જિલ્લાના તળાવોમાં મીઠા પાણીમાં ખેતી કરતા અંદાજે 700 ઉપરાંત ખેડૂતોએ ટેન્ડર ફોર્મ ભર્યા હતા જેમાંથી 350 ખેડૂતોએ આ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જેમાં ચાલુ વર્ષે બોરસદ તાલુકાના વિરસદ ગામમાં આવેલ તળાવ સૌથી વધુ કિંમતે અપાયું હતું
