આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વાંસદા તાલુકામાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુર્હુત કર્યુ
Live TV
-
રાજયના આદિજાતિ વિકાસ મંત્રીનરેશભાઇ પટેલે વાંસદા તાલુકામાં અંદાજે ૭ કરોડથી વધુના ખર્ચે શ્રેણીબધ્ધ વિવિધ વિકાસકામોના લોકાર્પણ/ખાતમુર્હુત કર્યુ હતું.
આ અવસરે પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર તમામ લોકોને સાથે રાખીને પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. રાજયમાં પીવાના પાણીના અસરકારક વ્યવસ્થાપન માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવીરાજયના તમામ ઘરોમાં નલથી જળ પહોંચાડવા માટે સરકાર પ્રતિબધ્ધ છે. મધુબન ડેમમાંથી વાંસદા,ખેરગામ, ચીખલી અને ગણદેવીના ગામોને શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
રાજ્યમાં છેવાડાના ગામથી માંડીને મોટા શહેરોને ઉત્તમ પ્રકારના માર્ગોથી જોડવામાં આવ્યા છે. વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે 50 લાખ રૂ. તથા લીમઝર ગામે 88.89 લાખ રૂ.ના ખર્ચે નવનિર્મિત થનાર પશુદવાખાનાથી ગ્રામજનોને ખૂબ જ લાભ થશે.
