એક એવુ શિવાલય જ્યાં સમુદ્રદેવ શિવલિંગનો કરે છે અભિષેક, જાણો એક ક્લીકમાં
Live TV
-
ચોવીસ કલાકમાં બે વાર શિવલિંગ તથા મંદિરનો રસ્તો સુદ્ધાં દરિયામાં સમાઇ જાય છે.આ મહાદેવ સ્તંભેશ્વર મહાદેવના નામથી પ્રસિદ્ધ છે.
ભરૂચ જિલ્લાના કવિ-કંબોઇ ગામે એક એવું શિવ મંદિર આવેલું છે જ્યાં ખૂદ સમુદ્ર દેવતા શિવલિંગનો અભિષેક કરવા આવે છે. ચોવીસ કલાકમાં બે વાર શિવલિંગ તથા મંદિરનો રસ્તો સુદ્ધાં દરિયામાં સમાઇ જાય છે.આ મહાદેવ સ્તંભેશ્વર મહાદેવના નામથી પ્રસિદ્ધ છે. પવિત્ર શ્રાવણ માસમાં અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે દરેક અમાસ અને પૂનમે આવતી મોટી ભરતી માટે લગભગ મંદિરનો બહુમત ભાગમાં દરિયાનું પાણી ફરી વળતું હોય છે ! આ સ્થળને ગુપ્ત સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અહીં સાત નદીઓનું સંગમ જોવા મળે છે. આ તીર્થ સ્થાનમાં આવેલ આશ્રમમાં છેલ્લા 20 વર્ષથી પાઠશાળા ચાલે છે અને આ પાઠશાળામાં ઉત્તરાંચલના વિદ્યાર્થો અભ્યાસ કરવા આવે છે.
