ચાલુ વર્ષે બીએસસી નર્સિંગમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા આપવી પડશે નહીં.
Live TV
-
કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના હિતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બીએસસી નર્સિંગમાં પ્રવેશ માટેના નિર્ણય અંગેની મહત્વની જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે બીએસસી નર્સિંગના અભ્યાસમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા આપવી પડશે નહીં. વિદ્યાર્થીઓના હિતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મહત્વના નિર્ણય અંગે જાહેરાત કરી હતી.. તેમણે જણાવ્યું હતું કે બીએસસી નર્સિંગમાં પ્રવેશ મેળવવા માગતા ભાઈઓ બહેનોને ધોરણ 12ના મેરિટના આધારે અત્યારની પદ્ધતિ મુજબ પ્રવેશ મળશે. હાલના સંજોગામાં નીટ આધારિત પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે નહીં.
