કચ્છ-ભૂજમાં આવેલું ઐતિહાસિક હમીરસર તળાવ બન્યું આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
કચ્છનાં પાટનગર ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ કાંઠે નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભુજ દ્વારકાધીશ મંદિરના સહયોગથી તળાવ કાંઠે આવેલા ઘટાદાર 106 વૃક્ષો પર વિવિધ ચિત્રકામની કલાગીરી કરવામાં આવી છે. તમામ વૃક્ષો પર કોરોના રસીકરણ, કોરોના વોરિયર્સ, ટ્રાફિક નિયમો, સામાજિક, ધાર્મિક તેમજ રાજકીય બાબતોના મેસેજ ચિત્રકારોએ ખૂબ જ સુંદર રીતે કંડાર્યા છે. વૃક્ષોનું જતન કરવા માટે આ અનોખી પહેલની ચર્ચા સમગ્ર ભુજમાં થઈ રહી છે. વૃક્ષોથી વાતાવરણની સાથે લોકોની ખુશીમાં પણ વધારો થાય છે. આ તળાવ કાંઠે આવેલા વૃક્ષો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
