કાંકરિયા ઝૂ, બટરફલાય પાર્ક, જૂનાગઢ સક્કરબાગ, સાંસણ સફાઇ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્યા
Live TV
-
કોરોના મહામારી વચ્ચે બંધ કરાયેલ રાજ્યભરના પ્રાણી સંગ્રહાલય અને સફારીપાર્ક પ્રવાસીઓ માટે આજથી ખુલ્લા મુકાયા છે.ત્યારે કોરોનાની ગાઇડલાઇન અને નિયમો સાથે અમદાવાદ કાંકરિયા પાર્ક પણ ખોલવામાં આવ્યું છે.
કોરોના મહામારી વચ્ચે બંધ કરાયેલ રાજ્યભરના પ્રાણી સંગ્રહાલય અને સફારીપાર્ક પ્રવાસીઓ માટે આજથી ખુલ્લા મુકાયા છે.ત્યારે કોરોનાની ગાઇડલાઇન અને નિયમો સાથે અમદાવાદ કાંકરિયા પાર્ક પણ ખોલવામાં આવ્યું છે.જેમાં કાંકરિયા ઝૂ, બટરફ્લાય પાર્ક ખોલવામાં આવ્યા છે.તો, કોરોના મહામારીને કારણે ઘણા સમયથી બંધ પડેલો અમરેલી આંબરડી સફારી પાર્ક પણ આજથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. આગંતુક મુલાકાતીએ કોરોના મહામારી સંદર્ભમાં જાહેર થયેલી સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. પાર્કમાં પ્રવેશનારા વાહન અને તેના ટાયર પણ સેનેટરાઇઝ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સોસિયલ ડિસ્ટન્સ જાળવીને અને માસ્ક ધારણ કરીને પ્રવાસી સફારીની મુલાકાત લઇ શકશે. સાથે જુનાગઢના દેવળીયા લાયન સફારી પાર્ક અને સક્કરબાગ ઝૂ પણ આજથી શરૂ થઈ ગયા છે. પ્રથમ દિવસે દેવળીયા સફારી ખાતે પાંચ જિપ્સી તેમજ બસ સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે. કોરોનાની ગાઇડલાઈન મુજબ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. તો દસ વર્ષથી નાના બાળકો તેમજ 65 વર્ષથી ઉપરના વૃદ્ધોના પ્રવેશ પર પ્રતિબંધ છે.
