કેવડિયા - શૂરપાણેશ્વર મંદિરે પૂજા કરવા પહોચ્યા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
Live TV
-
શ્રાવણ માસના પ્રારંભમાં દર વર્ષે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ દર્શન માટે પધારે છે
પવિત્ર શ્રાવણ મહિના નો આરંભ થતા જ નર્મદા જિલ્લા ના શિવ મંદિરો માં શિવ ભક્તો ની ભીડ જામવા લાગી છે. તેવા માં કેવડિયા કોલોની ખાતે આવેલા શૂળપાણેશ્વર મંદિર ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભોળાનાથ નો પંચતત્વ થી અભિષેક અને પૂજા અર્ચના કરી હતી. આ પવિત્ર કાર્યમાં ધારાસભ્ય બાબુભાઇ પટેલ સહિત મોટી સંખ્યા માં શિવ ભક્તો પણ જોડાયા હતા. ઉપરાંત હાલ ના સમય માં રાજ્ય ના અનેક વિસ્તારો માં ભારે વરસાદ ના કારણે પૂર ની પરિસ્થિતિ ઉદભવી છે ત્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ સરકારની કામગીરી અને સુચારુ આયોજન પર પ્રકાશ પાડ્યો હતો.
