કોણે કહ્યું, સિંહો તરી નથી શકતા; ગીરમાંથી આવ્યા એવા દ્રશ્યો જેમણે..
Live TV
-
સિંહો તરી શકતા નથી , તેવી આજ સુધી માન્યતા હતી. પરંતુ ગીરમાંથી આવેલા દ્રશ્યો, આ માન્યતાને સંદતર ખોટી પાડી રહ્યાં છે. શેત્રુંજી નદીને પાર કરતા , ત્રણ સિંહોના અલભ્ય દ્રશ્યોએ, ખાસ્સુ આકર્ષણ જમાવ્યું છે. સામાન્ય રીતે તરવું એ સિંહોની દિનચર્યાનો ભાગ હોતો નથી. પરંતુ રસ્તામાં કોઈ નદી નાળું કે જળાશય આવે તો સિંહો પાણીમાં ઉતરતા હોય છે. આ પ્રકારની વર્તણુક આસપાસના રહીશો દ્વારા ક્યારેક નોંધવામાં આવે છે. આફ્રિકન સિંહો પણ બદલાતા પરિવેશ પ્રમાણે તરણ ક્ષમતા દર્શાવતા હોવાનુ માલુમ પડે છે.
