કોરોનાની પરિસ્થિતિમાં આર્થિક તકલીફોમાંથી પહોંચી વળવા અપાઇ એક લાખની લોન
Live TV
-
પર્સનલ લોન પરિવારને ૧૦ ટકાના વ્યાજ દરે આપવામાં આવશે. જેની ચુકવણી માટે મહત્તમ સમય 36 મહિના રાખવામાં આવ્યો છે.
કોરોનાની મુશ્કેલ પરિસ્થિતિમાં સમાજના નાના અને મધ્યમ પરિવારોને બેઠા કરવા માટે ટેકસટાઇલ ટ્રેડર્સ કોપરેટીવ બેંક અને સદવિચાર પરિવાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. કોરોના ને કારણે આર્થિક રીતે તકલીફમાં મુકાયેલા અથવા તો એવા પરિવાર કે જેણે ગુજરાન ચલાવવાની જવાબદારી નિભાવતા પરિવારના મોભી ગુમાવ્યા હોય તેમને રૂપિયા એક લાખની પર્સનલ લોન આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પર્સનલ લોન પરિવારને ૧૦ ટકાના વ્યાજ દરે આપવામાં આવશે. જેની ચુકવણી માટે મહત્તમ સમય 36 મહિના રાખવામાં આવ્યો છે. લોન માટેની પ્રોસેસિંગ ફી થશે જો લોન પરત કરાશે તો બે ટકા વ્યાજ માં ઘટાડો પણ કરવામાં આવશે તેમજ લોન દરમિયાન બે હપ્તા સદવિચાર પરિવાર દ્વારા ચૂકવીને તેમને મદદરૂપ થશે.
