કોરોનાને કારણે રાજકોટ એસટી ડેપો દ્વારા છેલ્લા સવા મહિનામાં 65 ટકા જેટલા રૂટ બંધ કરાયા
Live TV
-
શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ એસટી ડેપો દ્વારા છેલ્લા સવા મહિનામાં 65 ટકા જેટલા રૂટ બંધ કરાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રમાણે સંક્રમણ વધી રહ્યું છે તેના કારણે એસ.ટી બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે રૂટ બંધ કરી દેવાતા એસટી ડેપોની આવકમાં 60 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં રાજકોટ એસટી ડેપોના 32 જેટલા કર્મીઓ કોરોના સંક્રમિત પણ થઈ ચૂક્યા છે. રાજકોટ એસટીના ડેપો મેનેજર એન.બી.વરમોરાએ જણાવ્યું હતું કે આવનારા 10 દિવસ સુધી આ રૂટ બંધ રહેવાનું અનુમાન છે.
