કોરોનામાં ઓક્સિજનની માંગને પહોચી વળવા પેટલાદના સેવાભાવીએ 35 લાખનો ફાળો આપ્યો
Live TV
-
રાજ્યની કોવિડ હોસ્પિટલોમા ઓક્સિજન સહિતની જરુરીયાતને પહોચી વળવા વિવિધ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે. કોરોના સંક્રમણ વચ્ચે અને ઓક્સિજનની માંગને પહોચી વળવા પેટલાદમા સ્વામી સચિદાનંદ દ્વારા 35 લાખ રુપીયાનો ફાળો આપવામા આવ્યો છે. અહી પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન્ટ કાર્યરત કરવામા આવ્યો છે.
આ માટે વહિવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામા આવી છે અને વધુમા વધુ દર્દીઓને સારવાર મળે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. તો ગોકુલધામ નારના સંતો શુકદેવ સ્વામી તથા હરિકેશવ સ્વામીની પ્રેરણાથી સેવાકીય પ્રવૃતિના ભાગરુપે કુલ 6,000 રાશન કીટનુ વિતરણ કરવામા આવ્યુ છે. જેમા 52 હજાર માસ્ક, 1500 નમકીન કીટ સહિતનુ વિતરણ કરાયુ છે.
