કોરોના મહામારીના કારણે દીવમાં જોવા લાયક સ્થળો પ્રવાસીઓ વિના ખાલીખમ
Live TV
-
પર્યટન સ્થળ દીવ બારેમાસ પર્યટકોથી ભરેલું રહે છે. પરંતુ હાલ કોરોના મહામારીને કારણે દીવના અનેક જોવાલાયક સ્થળો પ્રવાસીઓ વિના ખાલી ખમ પડ્યા છે. દીવનો નાગવા બીચ, કિલ્લો, ચર્ચ, બ્લુ ફ્લેગ બીચ, નાર્ડીયાની ગુફા સહિત તમામ ટુરિસ્ટ પોઈન્ટ પર જાણે કોઈ વ્યક્તિ જોવા મળતી નથી. સરકારે અનલોક અંતર્ગત હોટલ, રેસ્ટોરેન્ટ ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ દીવમાં જ્યાં સુધી ટુરિસ્ટ પોઈન્ટ નહીં ખોલવામાં આવે , ત્યાં સુધી હોટલોને પણ કોઈ ફાયદો નહીં થાય. હાલ ટુરિસ્ટ પોઈન્ટસ પ્રવાસીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તેવુ ભાસ થઈ રહ્યું છે.
