ગાંધીનગરઃ ઉવારસદ ખાતે વિકલાંગ કેન્દ્ર ખાતે 90થી વધુ દિવ્યાંગ બાળકો સાથે ગરબા નિમિત્તે વિશેષ આયોજન
Live TV
-
ગાંધીનગરમાં નવરાત્રી દરમિયાન સદવિચાર પરિવાર વિકલાંગ કેન્દ્ર ખાતે 90થી વધુ દિવ્યાંગ બાળકો સાથે ગરબા નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા માતાજીની ગરબી બનાવી શણગારવામાં આવી હતી. પરિસરમાં જ માતાના ગબ્બરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.જ્યારે ઢોલ નગારા જેવા વાજિંત્રો પણ દિવ્યાંગ બાળકો દ્વારા વગાડવામાં આવ્યા હતા.આ ઉપરાંત દિવ્યાંગોએ માતાજીની આરાધના પણ કરી હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ધમાસણ દ્વારા દિવ્યાંગ બાળકોને ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
