ગીરના ખાંભા અને તુલસીશ્યામમાં વનવિભાગ દ્વારા વન્યપ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થાનું આયોજન કરાયું
Live TV
-
ઉનાળામાં ગીર પંથકના ખાંભા અને તુલસીશ્યામ વન વિસ્તારમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓને પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટેનું ખાસ આયોજન કરાયું છે. વનવિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં 34 પાણીના પોઇન્ટ કાર્યરત કરાયા છે. જેમાંથી 6 પવન ચક્કી આધારીત પાણીના પોઈન્ટ છે અને બાકીના 28 ટેન્કર દ્વારા આધારીત છે. વનવિભાગ દ્વારા આ દરેક પાણીના પોઈન્ટની સપ્તાહમાં બે વખત સફાઈ પણ કરવામાં આવે છે. આમ વન્ય પ્રાણીઓની તરસ છિપાવવાની સાથે તેમના આરોગ્યની પણ તકેદારી વનવિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે.
