ગીરના ખેડૂતો કોઠાસૂઝથી ઉગાવી ગોટલી વગરની કેરી
Live TV
-
અનિલ ફાર્મના માલિકના મતે આ કેરીનું લાંબુ આયુષ્ય નથી તે ઝડપથી બગડી જાય છે
ગીરના ભાલછેલ ગામના ખેડૂતે ગોટલી વગરની કેરી ઉગાવી છે. સાસણગીર પાસે આવેલા ભાલછેલ ગામની સીમમાં અનિલ ફાર્મ ખાતે આ ગોટલી વગરની કેરીના વૃક્ષો છે અહીંના માલિક સમસુદિનભાઈ લગભગ 200 પ્રકારના આંબાની જાત તૈયાર કરી છે. તેઓ કહે છે કે, આ એન્ટિક ફળ છે આ જાતખૂબ પ્રચલિત નથી, તેમજ ધાર્યુ ઉત્પાદન મેળવી નથી શકાતુ, પરંતુ એન્ટિક આઈટમ તરીકે બગીચાની શોભા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે . આમના ફળ નાના તેમજ સ્વાદમાં સારા છે પરંતુ તેનું લાંબુ આયુષ્ય નથી, જેથી બગડી જવાની સંભાવના વધારે રહે છે, જેથી પાકને તરત જ તેનો ઉપભોગ કરવો જરૂરી છે.
