ગુજરાતના મીડિયા જગતના જાણીતા પીઢ પત્રકાર અને ફોટો જર્નલિસ્ટ શૈલેષ રાવલનું કોરોનાના કારણે નિધન
Live TV
-
ગુજરાતના મીડિયા જગતના જાણીતા પીઢ પત્રકાર અને ફોટો જર્નલિસ્ટ શૈલેષ રાવલનું કોરોનાના કારણે નિધન થયું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ શૈલેષ રાવલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ભગવાન શૈલેષ રાવલની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ભાજપના પ્રદેશ અધ્યક્ષે પ્રાર્થના કરી હતી. છેલ્લા 30 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે સંકળાયેલા શૈલેષ રાવલ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમનું કોરોનાની ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. આપને જણાવી દઈએ કે, કચ્છના અગરિયાની સ્થિતિ અને ડાંગના આદિવાસીઓની સમસ્યા પર કરેલી સ્ટોરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે વડનગરના ઐતિહાસિક સ્થાપત્યોને પણ કેમેરાથી ઉજાગર કરી વિશ્વમાં ખ્યાતિ અપાવી હતી.
