ગુજરાતમાં કોરોનાના નવા 18 કેસ, કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકા
Live TV
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 26 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. ગુજરાતમાં કોરોનાના કારણે સાજા થવાનો દર 98.76 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 16 હજાર 29 દર્દીઓએ કોરોનાને માત આપી છે. કોરોનાના કેસની વાત કરીએ તો વલસાડમાં સૌથી વધારે 5 કેસ નોંધાયા છે. નવસારીમાં 4 તો અમદાવાદ અને સુરતમાં 2-2 કેસ નોંધાયા છે. જામનગર અને જૂનાગઢમાં કોરોનાના 1-1 કેસ નોંધાયા છે. અત્યારસુધી કોરોનાના ફુલ કેસ 8 લાખ 26 હજાર 326 કેસ થયા છે. એક દિવસમાં 1 લાખ 60 હજાર 315 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
