ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલિયા આજે દાહોદની મુલાકાતે
Live TV
-
ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલિયા આજે દાહોદની મુલાકાતે હતા.
ધાનપુરના ખજૂરી ગામની મહિલા પર થયેલા અત્યાચાર મામલે તેઓએ ચર્ચા કરી હતી અને આશ્વાસન આપ્યું હતું કે, પીડિત મહિલાને પૂરતો ન્યાય મળશે. પીડિત મહિલાની સાથે વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે,, તેઓને પોલીસનો યોગ્ય સહકાર મળ્યો છે. આ સમગ્ર મામલે આરોપીઓને કડક સજા ફટકારવામાં આવશે.
લીલાબેન અંકોલિયાએ વધુમાં કહ્યુ હતુ કે, જ્યારે સરકાર નારી શક્તિની વાતો કરે છે ત્યારે આવા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા જોઇએ.
