છોટા ઉદેપુર જિલ્લામાં રીંછના સંવર્ધન - સંરક્ષણ માટે 4 દિવસીય તાલીમ શિબિરનું આયોજન
Live TV
-
છોટા ઉદેપુર જિલ્લામાં વન્ય પ્રાણી રીંછના સંવર્ધન અને સંરક્ષણ માટે ચાર દિવસીય 'આત્મવત્ સર્ભૂતેષુ' તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં દેશભરમાંથી 20 વન્યપ્રાણી રિસર્ચર અને વન વિભાગના 20 કર્મચારીઓ સાથે રહીને તાલીમ મેળવશે. આ શિબિરમાં વન્ય પ્રાણીઓના નિષ્ણાંતો દ્વારા રીંછોના વસવાટ, માનવ અને રીંછ વચ્ચેના સંબંધો, રીંછના માનવો પર હુમલાના કારણ, રીંછના રેસ્ક્યૂ વગેરેની સવિશેષ માહિતી અને તાલીમ આપવામાં આવશે. આજે આ શિબિરના પ્રથમ દિવસે રીંછ અંગે માહિતી આપતી એક બાળ પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.