જયા પાર્વતી વ્રત માટે ખાસ ડ્રાયફ્રૂટ મસાલા પાવડર
Live TV
-
સુરતના ડ્રાયફ્રુટના દુકાનદારોએ ડ્રાયફ્રુટ મસાલા પાવડર તૈયાર કર્યો
અલુણા વ્રતને જયા પાર્વતી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. જયા પાર્વતી વ્રત આજથી શરૂ થઇ ગયા છે જેના કારણે સંપૂર્ણ વાતાવરણ ધાર્મિક અને ભક્તિમય બની ગયું છે. સુરતમાં પણ કુમારીકાઓ અને મહિલાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વ્રતના સમયે વ્રત રાખનાર કુમારીકાઓ અને મહિલાઓ આહારમાં ડ્રાયફ્રુટ વધારે લેતી હોય છે. ત્યારે આ વખતે ડ્રાયફ્રુટની કિંમતમાં કોઈપણ પ્રકારનો વધારો જોવા મળ્યો નથી, જોકે આ વ્રતને ધ્યાનમાં રાખી ડ્રાયફ્રુટના વ્યવસાય સાથે સંકળાયેલા દુકાનદારોએ ખાસ 25 પ્રકારના કાજુ અને ઓસ્ટ્રેલિયા અને અમેરિકન બદામ સહિત અન્ય ડ્રાયફ્રૂટ્સ મંગાવ્યા છે. એટલું જ નહીં એક ખાસ મસાલા પાવડર તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પાંચ પ્રકારના ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ થાય છે.
