4 લાખ 80 હજારની બેન્કલોન મળતા 'મુદ્રા યોજના' સાચા અર્થમાં કલ્યાણકારી થઈ સાબિત
Live TV
-
વાત છે અમદાવાદના આશાસ્પદ વેપારી યુવાન કમલેશભાઈ વાઘેલાની, તેઓ છે. અમદાવાદના વિસ્તારમાં રહેતા કમલેશભાઈ આજે ગરમેન્ટનો હોલસેલ વેપાર સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. પણ આજની તેમની સફળતાની ઉજ્જવળ સવાર પાછળ સંઘર્ષભરી એક અંધારી રાત છે.
થોડા વર્ષોથી કમલેશભાઈ એક ખાનગી નોકરી કરતા હતા અને સાથેસાથે તેઓ પોતાના ઘરેથી જ ગારમેન્ટનો વેપાર કરતા હતા. વર્ષ હતું ૨૦૧૯નું જ્યારે કોરોનાના કપરા કાળે અનેક લોકોની જિંદગી અસ્તવ્યસ્ત કરી નાખી હતી. આ જ સમયમાં વિજયભાઈની નોકરી પણ ગઈ અને વેપાર પણ ઠપ્પ થઈ ગયો. ભલભલાને મૂંઝવી નાખે એવી આ પરિસ્થિતિમાં જિંદગીમાં ક્યારેય ન અનુભવી હોય એવી આર્થિક સંકળામણ કમલેશભાઈ અને તેમનો પરિવાર અનુભવી રહ્યો હતો.
કમલેશભાઈ કહે છે કે, એ સમયે હું ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. આગળ શું કરવું એ સમજાતું નહોતું. તેવામાં મારા એક મિત્રએ મને કેન્દ્ર સરકારની મુદ્રા યોજના વિશે જણાવ્યું. ત્યારબાદ મેં મારી રીતે તપાસ કરી અને બેન્કમાંથી લોન માટેની પ્રક્રિયા જાણી. અને તેના માટે એપ્લાય કર્યું. ધારાધોરણ મુજબ એકદમ પરવડે તેવા વ્યાજદર સાથે વિજયભાઈને 4 લાખ 80 હજારની બેન્કલોન કોઈપણ પ્રકારની ગેરેન્ટી વિના મળતા કેન્દ્ર સરકારની મુદ્રા યોજના તેમના માટે સાચા અર્થમાં કલ્યાણકારી સાબિત થઈ. આ ધીરણનો ઉપયોગ કરી તેમણે કપડાંનું હોલસેલિંગ શરૂ કર્યું. અથાક મહેનત કરીને ગરમેન્ટનો ધંધો જમાવ્યો.
આજે તેઓ વાર્ષિક લાખો રૂપિયાનું ટર્નઓવર કરતા થઈ ગયા છે. આમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં સામાન્ય માણસની જરૂરિયાતોને સમજી 'કોમનમેનમાંથી બિઝનેસમેન' બનાવવાના સંકલ્પ સાથે અમલી થયેલી મુદ્રા યોજનાએ અનેક લોકોને માત્ર આર્થિક
પ્રોત્સાહન જ નથી આપ્યું પણ જીવનમાં વિકાસ અને પ્રગતિની સાચી દિશા અને આત્મવિશ્વાસ પણ આપ્યો છે.