જાણીતા લેખક પ્રકાશ લાલાના નવા 5 પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું
Live TV
-
ગાંધીનગર ખાતે માહિતી વિભાગમાં સેવા આપેલ અને સાહિત્ય ક્ષેત્રે કાર્યરત, એવા પ્રકાશ લાલાના નવા 5 પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. હાસ્ય રસ અને જીવન જીવવાની પ્રેરણા મળી રહે તેવા નવા પુસ્તકોના લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પુસ્તકોમાં મધરાતે મહેમાન, મજાનાં પાંચ બાળનાટકો, તારા વિના, હળવે હૈયે, કશો વાંધો નહીં!નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પુસ્તકોના લોકાર્પણ સમયે લેખક દ્વારા પુસ્તક વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું. હાલમાં કોરોના કાળ દરમિયાન સ્ટ્રેસ ઓછો કરી શકાય તેવા વાંચન વિશેષ સૂચનો પ્રકાશ લાલા દ્વારા કરવામાં આવ્યા હતા.
