જાણો દિવ્યાંગ રાજુ વિષે, જેમની સમાજસેવાની પ્રશંસા પ્રધાનમંત્રીએ મન કી બાતમાં કરી
Live TV
-
આ લોકડાઉનમાં દિવ્યાંગ રાજુએ 100 પરિવારોને 1 મહિનાનું રાશન ઉપલબ્ધ કરાવ્યુ અને 3000 લોકોને માસ્કનું વિતરણ કર્યું.
પઠાણકોટનો દિવ્યાંગ રાજુ જે પોતાની કમાણી સમાજસેવા પાછળ ખર્ચ કરે છે. તે કોઈ ઓળખાણના મોહતાજ નથી.આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના કામની પ્રશંસા મન કી બાત પર કરી હતી.
ગરીબીને કારણે ભારતમાં ઘણા લોકો પેટ ભરવા ભીખ માગી રહ્યા છે. પણ પઠાણકોટમાં એક ભિક્ષુ પણ છે જે ભીખ માગીને લોકોની વેદનાઓ અને દુખોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે,આ તે જ ભિક્ષુ છે જે ફક્ત પોતાનું પેટ ભરવા માટે ભીખ માંગતો નથી પણ ઉલટાનું, ભીખ માંગીને એકત્રિત કરેલા પૈસાથી, તે લોક અને સમાજના કલ્યાણ માટે કામ કરે છે. લોક ડાઉનમાં, દિવ્યાંગ રાજુ દરરોજ જરૂરી લોકોને મદદ કરતા હતા. આ લોકડાઉનમાં દિવ્યાંગ રાજુએ 100 પરિવારોને 1 મહિનાનું રાશન ઉપલબ્ધ કરાવ્યુ. 3000 લોકોને માસ્કનું વિતરણ કર્યું. એટલું જ નહીં, રાજુએ પોતાની મૂડીથી ઘણી ગરીબ છોકરીઓના લગ્ન પણ કરાવ્યા.
