જામનગર શહેરમાં શિક્ષકો પૂર અસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા
Live TV
-
જામનગર શહેરમાં શિક્ષકો પૂર અસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા છે. શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોના કપડાં સહિત અનેક ચીજવસ્તુઓ પાણીમાં વહી ગઈ છે. તો આવા અસરગ્રસ્ત લોકોને પીરવાડી વિસ્તારના શાળાના આચાર્ય દયા નાકરાણી અને તેમના પતિ, ઘરવખરી સહિત જરૂરિયાતનો સામાન મોકલી મદદ કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
