દીવમાં વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે બે દિવસીય મુલ્યાંકન શિબિરનું આયોજન
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે બે દિવસીય મુલ્યાંકન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. મૂલ્યાંકન શિબિરનું આયોજન સંયુક્તરૂપે દાદરા- નગર હવેલી તેમજ દમણ અને દીવ પ્રશાસન, સમાજ કલ્યાણ વિભાગ-દમણ તેમજ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલીમ્કો) દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં તજજ્ઞ તબીબોની ટીમ દ્રારા વરિષ્ઠ નાગરિકોની વિવિધ આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું નિદાન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વરિષ્ઠ નાગરિકો માટે વ્હીલચેર, ટ્રાઈપોડ, ટેટ્રાપોડ, શ્રવણ-યંત્ર, નંબરના ચશ્માં, વોકિંગ સ્ટીક, બૈશાખી વગેરે જેવા સહાયક ઉપકરણો આપવા માટે સુચન કરવામાં આવ્યું હતું.
