જૂનાગઢ ખાતે 26 જાન્યુઆરીથી ગિરનાર નેચર સફારીનો પ્રારંભ કરાયો
Live TV
-
જૂનાગઢ ઈકો ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ માટે સરકાર દ્વારા વન્ય પ્રાણી, પક્ષી અને પ્રકૃતિ દર્શનની સાથે-સાથે સિંહ દર્શનનો લાભ મળશે
જૂનાગઢ ઈકો ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ માટે સરકાર દ્વારા વન્ય પ્રાણી , પક્ષીઅને પ્રકૃતિ દર્શનની સાથે સાથે સિંહ દર્શનનો લાભ મળી રહે તે માટે ગિરનાર નેચર સફારી જૂનાગઢ ખાતે 26 જાન્યુઆરીથી પ્રારંભ કરાયો છે.જેને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને આ સફારીમાં કેમ્પમાં ઇન્દ્રેશ્વર, જાબુંડી, પાતુરણ સહિતના વિસ્તારોમાં 26 કિલોમીટરની ટુર કરાવવામાં આવે છે. ત્યારે પ્રવાસીઓએ પણ આ નવા આયોજનને આવકાર્યુ છે. આ સફારીમાં સવારે અને સાંજે ચાર પરમીટ મળશે જેમાં એક જીપ્સીમાં છ વ્યક્તિ નો સમાવેશ થશે. જેમાં પરમિટ ના રૂપિયા 800 , જીપ્સીના રૂપિયા 1700 અને ગાઈડ ના રૂપિયા 400 મળીને કુલ 2900 રૂપિયા ના દરમાં કુલ છ વ્યક્તિ આ ગિરનાર નેચર સફારી નો આનંદ માણી શકશે..
