તળાજાના દિહોર ગામના પ્રગતિશલ ખેડૂત તરબૂચ અને ગાજરની ખેતી કરી સારી કમાણી કરતા થયા
Live TV
-
રાસાયણિક ખેત પદ્ધતિને તિલાંજલિ આપી ગાય આધારિત જીવામૃત અને અજમાસ્ત્રનો ઉપયોગ કરી ખેતી કરે છે
પ્રાકૃતિક ખેતી માટે સરકાર ખેડૂતોને અનેક પ્રોત્સાહનો પૂરા પાડી રહી છે. ત્યારે ભાવનગરના તળાજાના દિહોર ગામના પ્રગતિશલ ખેડૂત શક્તિસિંહ ગોહિલ તરબૂચ અને ગાજરની ખેતી કરી સારુ ઉત્પાદન અને સારી કમાણી કરતા થયા છે. રાસાયણિક ખેત પદ્ધતિને તિલાંજલિ આપી ગાય આધારિત જીવામૃત અને અજમાસ્ત્રનો ઉપયોગ કરી ખેતી કરે છે. જીવામૃત થકી તૈયાર થયેલા તરબૂચમાં એક અલગ પ્રકારની મીઠાસ મળે છે, જેના કારણે તેઓનો પાક ખેતરમાંથી સીધો જ વેચાઇ જાય છે અને જેના કારણે તેઓ એક વીઘા દીઠ એક લાખ સુધીની આવક મેળવી રહ્યા છે. વીઘા દીઠ 300 મણ તરબૂચનો ઉતારો આ સિઝનમાં આવી રહ્યો છે.
