દમણઃ પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રોમાં જેનરિક દવાઓનું વેચાણ વધ્યુ, લોકોને મોટાં બીલોથી મળી રાહત
Live TV
-
દેશમાં લોકોને સસ્તા દરે દવાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 50 થી 90 ટકા સુધીના સસ્તા ભાવે દવાઓ મળી રહે છે.
દેશમાં લોકોને સસ્તા દરે દવાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 50 થી 90 ટકા સુધીના સસ્તા ભાવે દવાઓ મળી રહે છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં અનેક જરૂરિયાતમંદ લોકો આ જેનેરિક દવાનો લાભ મેળવી રહ્યાં છે. અહીં લોકોમાં જેનરિક દવા વિશે જાગૃકતા વધી છે. સાથે જ તેઓ ડોક્ટરોને પણ જેનરિક દવા લખવા માટે આગ્રહ કરે છે. જેથી પહેલા કરતાં હવે જેનરિક દવાઓના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. નિયમિત દવા લેતા દર્દીઓને પણ ઓછા ભાવમાં દવા મળવાથી રાહત મળી છે. તો જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા પણ અનેક શિબિરોનું આયોજન કરીને લોકોને આ દવા વિશે માહિતી આપવામાં આવે છે.
