દ્વારકા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય ઘરસભાનું આયોજન કરાયુ, ભક્તો ઓનલાઈન જોડાયા
Live TV
-
સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને દ્વારકા સ્વામિનારાયણ મંદિર ખાતે રાત્રે નવ વાગ્યે ભવ્ય ઘરસભા યોજાઈ હતી જેમાં લાખો લોકો ઓનલાઈન જોડાયા હતા અને સત્સંગમાં હાજરી આપી હતી.
સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને દ્વારકા સ્વામિનારાયણ મંદિર ખાતે રાત્રે નવ વાગ્યે ભવ્ય ઘરસભા યોજાઈ હતી જેમાં લાખો લોકો ઓનલાઈન જોડાયા હતા અને સત્સંગમાં હાજરી આપી હતી.
દ્વારકાના સ્વામીનારાયણ મંદિર ખાતે 443મી ઘરસભામાં વક્તા શ્રી સદગુરુ સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજીના મુખેથી યોજાઈ હતી જેમાં વિશિષ્ઠ સાધુ સંતો અને મોટી સંખ્યામાં ભાવિકો અને સ્વામીનારાયણ મંદિરના ભાવિકો હાજર રહ્યા હતા. ઘર સભામાં સત્સંગથી માંડી સ્વામી સંપ્રદાયની અને દ્વારકાધીશની રોચક વાતો કરી હતી. આ ઘરસભામાં ઈન્ટરનેટના માધ્યમથી લાખો લોકો ઓનલાઈન જોડાયા હતા અને સત્સંગ સાંભળ્યો હતો.
ડિસેમ્બર 2021ની તારીખ 10 થી18 સુધી સરધાર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખુબ જ ધામ ધુમ પૂર્વક યોજાવાનો છે. જેમાં 1008 કુંડી યજ્ઞ અને વિવિધ સેવાકીય કાર્યક્રમો 600 વીઘાની જગ્યામાં યોજાનારા છે. આ કાર્યક્રમો ધામધૂમથી ઉજવવાઆ ઘરસભાના આયોજનો કરવામાં આવે છે.
