દાહોદના ARTO 360 કિમી સાયકલિંગ કરી ફરજ પર હાજર થશે
Live TV
-
દાહોદના ARTO તાહિર દાંત્રોલિયા બદલી સુરેન્દ્રનગર થતાં તેઓ ફરજ પર હાજર થવા સરકારી સુવિધાઓ છોડીને દાહોદથી સુરેન્દ્રનગર 306 કિ.મી. સાયકલીંગ કરીને પહોંચશે. તેમના આ ઉદ્દેશ્ય પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયાનો ઉદ્દેશ્ય રહેલો છે. સાથે જ લોકો અને ખાસ કરીને યુવાનોમાં રોડ સેફ્ટી અંગે જાગૃતતા આવે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે છે. તેઓ ત્રણ દિવસમાં કુલ 306 કિ.મી.નું અંતર કાપશે. ગઇકાલે અમદાવાદમાં રાત્રી રોકાણ કર્યા બાદ આજે તેઓ સવારે સુરેન્દ્રનગર જવા નીકળ્યા હતા. રસ્તામાં તેઓ લોકોને રોડ સેફ્ટી વિશે જાણકારી પણ આપી રહ્યા છે. તો તેમના કાર્યને બિરદાવવા જુદી જુદી સંસ્થાઓ પણ તેમનું રસ્તામાં સ્વાગત કરી રહી છે. તેમના આ કાર્યમાં તેમનો પરિવાર પણ તેમની સાથે છે. તેઓ પણ તેમને મળવા માટે પહો્ચ્યા હતા. આ અંગે દુરદર્શન સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી.
