દિન વિશેષ: વિશ્વ વિકલાંગતા દિવસ
Live TV
-
દર વર્ષે 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ વિકલાંગતા દિવસ (World Disabilities Day 2021) માટે વાર્ષિક ઓબ્ઝર્વેશનની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રએ જનરલ એસેમ્બલી રેઝોલ્યુશનમાં 1992માં કરી હતી. વિકલાંગ દિવસ વિકલાંગ લોકો પ્રત્યે કરુણા, આત્મસન્માન અને તેમના જીવનને સુધારવાના ઉદ્દેશ્ય સાથે મનાવવામાં આવે છે. વિશ્વ વિકલાંગતા દિવસ માટે 2021ની થીમ છે કોવિડ-19 પછીના સર્વસમાવેશક, સુલભ અને ટકાઉ વિશ્વ તરફ વિકલાંગ વ્યક્તિઓનું નેતૃત્વ અને સહભાગિતા.
આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે નવી દિલ્હીમાં આયોજીત સમારોહમાં ભાગ લેશે. આ સમારોહ દિવ્યાંગ વ્યક્તિના અધિકારીતા વિભાગ અને કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા આયોજીત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ દિશામાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધીઓ અને કાર્યમાં જોડાયેલ વ્યક્તિઓ, સંસ્થાઓ, સંગઠનો અને રાજ્યના જિલ્લાઓને વાર્ષિક રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરશે. કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ.વિરેન્દ્ર કુમાર આ સમારોહની અધ્યક્ષતા કરશે. જ્યારે કેન્દ્રીય સામાજીક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ અઠ્ઠાવલે એ.એન. નારાયણ સ્વામી, અને પ્રતિમા ભૌમિક આ અવસરે ઉપસ્થિત રહેશે.
