મહેસાણા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત 150 સાયકલ સવારોને જિલ્લા કલેકટરે પ્રસ્થાન કરાવ્યું
Live TV
-
મહેસાણામાં "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત, 150 સાયકલ સવારોને જિલ્લા કલેકટર દ્વારા, પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાયકલ રેલી સાથે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડાએ પણ સાયકલ સવારી કરી વડનગર આવી પહોંચ્યા હતા. N.G.ઇન્ટરનેશનલ સ્કુલ વિસનગર રોડથી, મહેસાણાથી વડનગરની યાત્રામાં સાયકલ સવારો જોડાયા હતા. વડનગર નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન વ્યાસ, ઉપપ્રમુખ કાનાજી ઠાકોર, તથા વડનગર શહેર પ્રમુખ રાજુભાઇ મોદી, પૂર્વ પ્રમુખ ઘેમરજી ઠાકોર તથા વડનગર શહેરના અગ્રણીઓએ આ તમામનું સ્વાગત કર્યું હતું. વડનગરમાં આ સાયકલ સવારોએ લટેરીની વાવ, અમ્બિકા કથા તળાવ, કિર્તી તોરણ, સપ્તર્ષિ અરો, મ્યુઝિયમ સાઇટ, શર્મિષ્ઠા તળાવ, તાના-રીરી ગાર્ડન, બુધ્ધ સ્તૂપ વેગેરેની મુલાકાત લીધી હતી.
