દિવાળીના તહેવારની આજે અગિયારસથી શરૂઆત
Live TV
-
દિવાળીના તહેવારની આજે અગિયારસથી શરૂઆત
દિવાળીના તહેવારની આજે અગિયારસથી શરૂઆત થઇ છે. ત્યારે આજે અગિયારસ અને વાક્ બારસનો સંયુક્નાત સંયોગ છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં હતા એટલા માટે જ આજના દિવસે વસુ પૂજનનું મહત્વ છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીજીની પુજા થાય એ પહેલાં સરસ્વતીની પુજા કરવામાં આવે છે. વાક્ એટલે કે વાણી. વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પણ આજે પૂજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતીઓ વાક્ બારસે ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે, ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલના પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા પણ કરે છે.
