દિવાળી તહેવાર નિમિત્તે મોરબી ડેપો દ્વારા 28 ઓક્ટોબર થી 3 નવેમ્બર સુધી ખાસ બસો મુકાશે
Live TV
-
દિવાળીના તહેવાર નિમિત્તે મોરબી ડેપો દ્વારા 28 ઓક્ટોબર થી 3 નવેમ્બર સુધી પંચમહાલ જીલ્લામાં ગોધરા, દાહોદ અને અમદાવાદ તરફ જવા માટે ખાસ બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાજકોટ અને જામનગર જવા માટે પણ વધારાની બસોની સુવિધા કરાઈ છે. સિરામિક ફેક્ટરી યુનિટ સંચાલકોને પોતાના કામદારોને અથવા અન્ય મુસાફરોને જો સીધા જ પંચમહાલ તરફ જવું હોય તો ડેપો મેનેજરને 4 દિવસ પહેલા રૂબરૂ સંપર્ક કરવા જણાવ્યું છે, જેથી અલગ બસ ફાળવી શકાય
લોકહિતમાં તહેવાર માટે લેવાયેલા નિર્ણયથી લોકોને એસટી નિગમ દ્વારા કરવામાં આવેલી સગવડ દ્વારા મુસાફરી માટે સવલત મળશે તેમજ માદરે વતન જવાની અગવડમાંથી મુક્તિ મળશે.
