દ્વારકાઃ અધિક માસ નિમિત્તે પુરુષોત્તમ મંદિરમાં અન્નકૂટ મહોત્સવ
Live TV
-
તીર્થ નગરી દ્વારકામાં ગોમતી ઘાટ પર આવેલ પુરુષોત્તમ ભગવાનના મંદિરે અધિક માસ નિમિતે દરરોજ વિવિધ દર્શન મનોરથ યોજાતા હોય છે. ત્યારે ગઈકાલે પરષોત્તમ રાયના મંદિરે ભવ્ય અન્નકુટ દર્શન રાખવામાં આવ્યા હતા. જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
લગભગ ૮૦૦ વર્ષ જૂના આ પ્રાચીન મંદિરમાં ભગવાનને વિશેષ શૃંગાર સાથે ૫૬, પ્રકારના વિવિધ પકવાનો ધરાવવામાં આવ્યા હતા. ત્યારે દરરોજ ગોમતી ઘાટે આવતા સ્થાનિક ભક્તો સાથે પ્રવાસીઓએ પણ દર્શનનો લાભ લીધો હતો. મોડી સાંજ સુધી આ અન્નકૂટ દર્શન રખાયા હતા.
