દ્વારકાઃ વાઘેર સમાજના સમૂહલગ્નમાં 129 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
Live TV
-
દ્વારકામાં દર વર્ષે સ્થાનિક પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ યોજાયેલા સમુહલગ્નમાં ક્ષત્રિય વાધેર સમાજના 129 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જેમાં દરેક કન્યાને કરિયાવરમાં ,ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ આપવામાં આવી હતી.
આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો, દ્વારકા જીલ્લાના કલેક્ટર, સમાજના આગેવાનોએ હાજર રહીને ,તમામ નવયુગલોને આર્શીવાદ આપ્યા હતા.સૌથી મહત્વની વાત એ છે કે સમુહલગ્ન સાથે ,રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે દેશની રક્ષામાં તૈનાત રહેતા જવાનો માટે ખાસ એકત્ર કરાયુ હતુ. આમ, દરવર્ષની માફક ચાલુ વર્ષે પણ સમુહ લગ્ન યાદગાર બની ગયા હતા.
