દ્વારકા: ઉનાળો આવતા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાઓનું નિ:શુલ્ક વિતરણ કરાયું
Live TV
-
ઉનાળાની શરુઆત થઇ છે ત્યારે દેવભૂમી દ્વારકામાં સેવાભાવી સંસ્થા શીવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચકલીના માળા અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તકે પાલિકા પ્રમુખ, ભાજપ અગ્રણીઓ અને ટ્રસ્ટના પ્રમુખના હસ્તે 500 જેટલા માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યુ છે. આગામી દિવસોમાં ગામનાં લોકો વધુમાં વધુ પક્ષીઓની સેવા કરે તે હેતુથી પાણીના કુંડા તથા ચકલીના માળા વિતરણ કરવાનું આયોજન કરાયુ હતું.
