ધોરાજીની સરકારી શાળા નં-2 બાળકોને અનાજ અને શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી
Live TV
-
લોક ડાઉનના પગલે રાજયભરમાં શાળા-કોલેજ બંધ છે. જે અન્વયે ધોરાજીની સરકારી શાળા નં-2 પણ બંધ છે. અત્યંત પછાત વિસ્તારમાં આવેલી આ શાળાના શિક્ષકોએ શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અને બાળકો અને તેમનો પરિવાર ભૂખ્યોના રહે તે માટે ચિંતા કરી છે. તેમણે બાળકોને અનાજ અને શિક્ષણ કીટ અર્પણ કરી હતી. આ શાળાના શિક્ષકો દ્વારા બાળકોને શાળાએ બોલાવીને કોરોના સંક્રમણ દરમિયાન શું સાવધાની રાખવી શા માટે વારંવાર હાથ પાણી-સાબુથી ધોવા સોશ્યલ ડીસ્ટન્સ શું છે તે કેમ જાળવવું જાઇએ તેની સમજ આપ હતી.
