નડિયાદ ખાતે 'સ્વનિધિ સે સમૃદ્ધિ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
ભારત સરકારની શ્રમજીવીઓ માટે વિવિધ આઠ પ્રકારની યોજનાઓ એક જ સ્થળે, એક જ સમયે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત મળે તે હેતુથી ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે 'સ્વ નિધિ સે સમૃદ્ધિ કેમ્પ' નડિયાદ નગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા યોજાયો હતો.
ભારત સરકારની શ્રમજીવીઓ માટે વિવિધ આઠ પ્રકારની યોજનાઓ એક જ સ્થળે, એક જ સમયે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત મળે તે હેતુથી ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે 'સ્વ નિધિ સે સમૃદ્ધિ કેમ્પ' નડિયાદ નગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા યોજાયો હતો. શ્રમજીવીઓ જેમાં ફૂટપાથ પર પાથરણાવાળા, લારીઓવાળા, ગલ્લાવાળા, ફેરીઓ ફરતા ફેરિયાઓ તમામ માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ કાર્યરત છે. જે યોજના અંતર્ગત નગરપાલિકાઓમાં નોંધાયેલા શ્રમજીવીઓને વેનડીગ કાર્ડ આપવામાં આવ્યા હતા. ઉપરાંત કાર્ડ મળેલા હતા તેઓને ધંધા વ્યવસાયમાં મદદરૂપ થવા રૂપિયા દસ હજારની લોન આપવામાં આવી હતી. ઉપરાંત 15 શ્રમજીવીઓને કેન્દ્ર સરકારની નવી યોજનાના યુ -વિન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત મળેલા લાભ બદલ શ્રમજીવીઓએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત માન્યો હતો.
