નડિયાદ : સંતરામ મંદિરમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો
Live TV
-
વૃક્ષ અને છોડ, જળ અને ભૂમિના સંરક્ષણ માટે શ્રદ્ધા અને આદરને પ્રોત્સાહન આપવા માટે પ્રકૃતિ વંદના એક પ્રતીકાત્મક કાર્યક્રમ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સંતરામ મંદિરંમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. તે અંતર્ગત નડિયાદ સંતરામ મંદિરના સંત નિર્ગુણ દાસજી તથા અન્ય સંતોની ઉપસ્થિતિમાં તુલસીના છોડને વંદન કરી પૂજા સાથે નાડાછડી અર્પણ કરી આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત માઈ મંદિર , અંબા આશ્રમ ખાતે પણ પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. વૃક્ષ અને છોડ, જળ અને ભૂમિના સંરક્ષણ માટે શ્રદ્ધા અને આદરને પ્રોત્સાહન આપવા માટે પ્રકૃતિ વંદના એક પ્રતીકાત્મક કાર્યક્રમ છે.સમાજને ફરીથી પ્રાકૃતિક મૂલ્યો અને જીવ સૃષ્ટી નુ સંરક્ષણ પ્રત્યે સંવેદનશીલતાની દિશા આપવા માટેનો આ એક કાર્યક્રમ છે.
