નવસારીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેડૂત જાગૃતિ શિબિર યોજાઈ
Live TV
-
નવસારીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગ્રામીણ કૃષિ મૌસમ સેવા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા નવસારી કૃષિ યુનિવર્સીટીનાં સયુંકત ઉપક્રમે ખેડૂત જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખેડૂતોને બદલાતા હવામાનનાં પરિબળોથી ખેતીમાં થતા નુકસાન પર અંકુશ મેળવી વધુ ઉત્પાદન મેળવવા અંગે કૃષિ તજજ્ઞોએ માહીતગાર કર્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનાં કારણે કૃષિ રોગ, જીવાત, ઉંદર અને નિંદણને કારણે જુદા-જુદા પાકોમાં થતા ઉત્પાદનના ઘટાડા પર નિયંત્રણ મેળવવાની માહીતી આપવામાં આવી હતી. આ શિબિરમાં નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
