નિકોલ સ્થિત ઉમિયા પરિવાર દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન
Live TV
-
કોઇ પણ પ્રકારના કપરા સમયમાં સેવા ભાવને સતત ઉપર રાખીને સમાજ કાર્યો કરવાં એ ગુજરાતની પ્રજાની તાસીર છે. તેથી જ કોરોના મહામારીના કપરા કાળમાં પણ રક્તદાનનો પ્રવાહ સતત ચાલતો રહે છે.
અમદાવાદના નિકોલ સ્થિત ઉમિયા પરિવાર દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં , 500 થી પણ વધુ બોટલ રક્ત એકઠું કરીને તેને થેલેસેમીયા અને કેન્સરના દર્દીઓના ઉપયોગ માટે આપવામાં આવ્યું હતું.
ઉમિયા પરિવારના યુવાનોએ સરકારની તમામ ગાઇડ લાઇન્સના પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગ સાથે આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરીને પોતાની સેવા ભાવના પ્રગટ કરી છે. સાવચેતી અને સલામતીની સાથે રક્તદાનનો પ્રવાહ સતત જળવાઇ રહે તે માટે ઉમિયા પરિવાર નિકોલ રક્તદાન કેમ્પનું આયોજન કરતું રહે છે.
