પંચમહાલ ન. પાલિકાની વ્યાપારીઓને રવિવારે બજાર બંધ રાખવા અપીલ
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસ ઘટાડવા માટે સરકાર કામ કરી રહી છે. આ સાથે રાજ્યની અનેક જિલ્લાઓમાં લોકો પણ તકેદારી રાખી રહ્યા છે. પંચમહાલ નગરપાલિકાએ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વેપારીઓને રવિવારે દુકાનો અને બજાર બંધ રાખવા માટે અપીલ કરી હતી.
તમામ વેપારીઓએ આ અપીલને માન્ય રાખી હતી. વર્તમાન સમયમાં કોરોનાનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, જેના પગલે નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી, કે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
રાજ્યમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 2 લાખ 17 હજાર 333 થઈ ચૂક્યા છે. જ્યારે 4064 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.
