પૂ. હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ શરીરના દર્શન અર્થે કેટલાક ભક્તો વડોદરા સોખડા સ્વામિનારાયણ મંદિર પોહ્ચ્યા હતા
Live TV
-
વડોદરાનાં સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરુવર્ય પૂ. હરિપ્રસાદ સ્વામીજીના દેહ વિલય બાદ ચાર દિવસ માટે તેમના પાર્થિવ શરીરીને ભક્તોના અંતિમ દર્શન માટે મંદિરના તેમના નિવાસસ્થાની બાજુમાં આવેલ ભવનમાં મુકવામાં આવ્યા છે. વહેલી સવાર થી જ સોખડા મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા
સોખડા મંદિરમાં અનેક સાધુ સંતો હરી પ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે પહોચી રહ્યા છે. ગઈકાલે દિવસ દરમિયાન પાણી પુરવઠા કુંવરજીભાઈ બાવળીયા, ધારીના ધારાસભ્ય જે. વી. કાકડીયા ,આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ સહિત જગન્નાથ મંદિરના મહંત પૂ. દીલિપદાસજી મહારાજ સહિત સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ સોખડા આવ્યા હતા. જ્યારે આજે પૂર્વ ધારાસભ્ય કનું ભાઈ કલસરિયા અને નર્મદા રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ અને અખિલ ભારતીય સંત સમિતિના સંગઠન મંત્રી વેદાંત આચાર્ય ઋષિ ભારતીએ અક્ષર નિવાસી પૂ. હરિપ્રસાદજી સ્વામીજીના અંતિમ દર્શન કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.
