પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ જમાં કરી
Live TV
-
ગુજરાતમાં અત્યાર સુધીમાં 40 લાખ કરતાં વધુ ખેડૂત ખાતેદારોની પડખે વર્તમાન કોરોનાની અને લોક ડાઉનની સ્થિતિમાં સરકાર સંવેદનશીલતાથી ઉભી રહી છે. પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં આવા 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોના બેંક એકાઉન્ટમાં ચાલુ નાણાકીય વર્ષની સહાયના પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે પ્રત્યેક ખેડૂત ખાતેદારને 2 હજારની સહાય પેટે કુલ 800 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે જમાં કરાવી છે. પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના દરેક ખેડૂત ખાતેદારને વર્ષ દરમ્યાન 3 હપ્તામાં કુલ 6 હજાર રૂપિયાની સહાય ભારત સરકાર આપે છે. પ્રવર્તમાન કોરોના અને લોક ડાઉનની સ્થિતીમાં દેશભરના 4.91 કરોડ ખેડૂત ખાતેદારોને રાહત આપતા 2 હજાર રૂપિયાના પ્રથમ હપ્તા પેટે કુલ 62 હજાર કરોડની સહાય આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગે વધું માહિતી આપી હતી.
