બહુચરાજી મંદિરમાં યાત્રાળુઓનું ઘોડાપૂર
Live TV
-
દિવાળીના વેકેશનને લઇને મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો
હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે શક્તિપીઠ બહુચરાજીમાં યાત્રાળુનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ બહુચરાજી મંદિર પહોંચ્યાં હોવાથી મંદિરના ટ્રસ્ટ દ્વારા યાત્રાળુની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દર્શનાર્થીઓને વાજબી ભાવે સાત્વિક શુદ્ધ ભોજન મળી રહે તે હેતુસર ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્શનાર્થીઓની સુવિધા માટે મંદિરના પરિસરમાં મંડપ બાંધવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ભાવિકોએ બહુચરાજીના દર્શન કરીને નવુ વર્ષ સુખાકારી નિવડે તેવી કામના કરી હતી.
