ભાવનગરના મહુવાથી મંત્રી કુંવરજીભાઈએ ૬ પશુવાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
Live TV
-
ભાવનગર જિલ્લાના મહુવા ખાતેથી પાણી પુરવઠા કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ૬ પશુવાનને લીલીઝંડી આપી આજે પ્રસ્થાન કરાવ્યું હતું. આ 6 મોબાઇલએમ્બ્યુલન્સ વાન ભાવનગર જિલ્લાના છ તાલુકાઓના પશુપાલકોના પશુઓની સારવાર માટે ફાળવવામાં આવી છે
પશુઓને બિમારી સમયે તાત્કાલિક દવાખાના સુધી લઇ જવાની સુવિધા મળે અને પશુઓને ઝડપી યોગ્ય સારવાર મળે તે હેતુથી આ સુવિધા પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી બનશે. જેમ માણસોને દવાખાને લઇ જવાની સુવિધા મળે છે તેમ પશુઓને પણ માંદગીના સમયે સારવાર મળી રહે તે હેતુથી આ સેવા કાર્યરત કરવામાં આવી છે.
