મહેસાણાના ડોક્ટરે પત્નીની યાદમાં 110 પ્રકારની આયુર્વેદિક ઔષધિનું કર્યુ વાવેતર
Live TV
-
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કરશન પુરા ગામે ડૉક્ટર ભગવાન મોદીએ ઓક્સિજન પાર્ક બનાવવાની શરૂઆત કરી હતી.
કોરોના મહામારી પછી હવે લોકો વૃક્ષના જતન માટે અને તેનું મહત્વ સમજતા થયા છે. વૃક્ષો એ ઓક્સિજનની એક ફેકટરી છે. જેને લઈને હવે લોકો વધુને વધુ વૃક્ષોનું જતન કરવા લાગ્યા છે. અને એમાંય હવે લોકોને આર્યુવેદીક ઔષધિ છોડનું મહત્વ સમજાવા લાગ્યુ છે. તેવામાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કરશન પુરા ગામે ડૉક્ટર ભગવાન મોદીએ ઓક્સિજન પાર્ક બનાવવાની શરૂઆત કરી હતી. જેમાં જુદા જુદા 40 પ્રકારના આયુર્વેદિક ઔષધિઓના છોડ જેમાં ભ્રામી, અર્જુન, એલોવેરા, તુલસી, અશ્વગંધા, નગોડ, કપૂર, પારિજાત, તેમજ દોડી, સ્ટીવિયા, સાદોલ, કલ્પવૃક્ષ રુદ્રાક્ષ, સોપારી, કદમ, અરીઠા વગેરેનાં 300 જેટલા છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલી પત્નીના નામે ડૉક્ટરે પુષ્પમ ફાર્મ બનાવી જુદા જુદા 110 પ્રકારની આયુર્વેદિક ઔષધિ વાવીને તથા સુભાષ પાલેકરની ગાય આધારીત ખેતી કરી રહ્યા છે.
